તે શિક્ષણને લગતી દરેક સેવાઓ પુરી પાડે છે, તે ગરીબ પરિવારનાં બાળકોને શેક્ષણિક સહાય પુરી પાડે છે, તે ગરીબ પરિવારના બાળકોને ઘરેથી સ્કૂલ અને સ્કૂલ થી ઘરે સુરક્ષિત અને મફત વાહન વ્યવસ્થા દ્વારા લાવવામાં આવે છે જેથી બાળકો માટે અભ્યાસ સરળ બની રહે. આ ટ્રસ્ટ હાલમાં 20 થી 30 ગરીબ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ સાથે વિવિધ શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડે છે, વર્ષ 2010 થી સરકાર ગ્રુપ સતત સમાજ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે, જયારે જરૂરિયાતમંદોને સહાય કરવાની હોય ત્યારે સરકાર ગ્રુપ પાછળ રહેતું નથી - પછી એ આરોગ્ય હોય, રક્તદાન કેમ્પ હોય કે શૈક્ષણિક મદદ.
આ યાત્રાને વધુ દઢ બનાવવા માટે વર્ષ 2024 માં વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી, જે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવા માટે સમર્પિત છે. વર્ષ 2010 થી સરકાર ગ્રુપ સમાજ સેવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે જેમ કે રક્તદાન કેમ્પ, આરોગ્ય સેવાઓ, જરૂરિયાતમંદ ની સહાય અને ખાસ કરીને બાળકોનું શિક્ષણ. વર્ષ 2024 માં આ સેવાઓને સુપ્રણાલીબદ્ધ બનાવવા માટે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. હવે આ તમામ સેવાઓ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સરકાર ગ્રુપ દ્વારા કરવામાં આવશે. વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ હાલમાં સુરતમાં કાર્યરત છે અને આવતા સમય માં પુરા ભારત માં પણ કાર્યરત થશે.
Children Served
Meals Distributed
Events & Camps Organized
Donor Satisfaction Rate

Meet the passionate individuals who give their time and energy to help transform lives and build a better tomorrow.